ગુરુ જ્ઞાનની ઘડિયાળ વાગે છે (કિર્તન લખેલું છે)@Gondaliya.Bhavika Guru Purnima
ગુરુ જ્ઞાનની ઘડિયાળ વાગે છે (કિર્તન લખેલું છે)@Gondaliya.Bhavika Guru Purnima 🌹🌹🌹🌹🙏જય ગુરુદેવ 🙏🌹🌹🌹🌹 ગુરુ જ્ઞાન ની ઘડિયાળ વાગે છે ક્યારે સેવકને સુરતા જાગે છે.. ગુરુ જ્ઞાન ની ઘડિયાળ ... ગુરુ વચન ના બાણ જેને લાગે છે એ તો માયાથી છટા ભાગે છે.. ગુરુ જ્ઞાનની ઘડિયાળ.... જેને ગુરુ ગત લગની લાગે છે એ તો ચિંતા ઊંઘમાંથી જાગે છે... ગુરુ જ્ઞાન ની ઘડિયાળ.... જેને મોતના ભણકારા વાગે છે એ તો સંસાર સુખને ત્યાગે છે... ગુરુ જ્ઞાન ની ઘડિયાળ .... જેને અંતરમાં લાય લાગે છે એ તો મારી પાસે માફી માંગે છે... ગુરુ જ્ઞાન ની ઘડિયાળ... જ્યારે સત્સંગની ભુખ જેને લાગે છે ત્યારે ભવની ભ્રમણા ભાંગે છે... ગુરુ જ્ઞાન ની ઘડિયાળ.. જેને જમના જપાટા વાગે છે એ તો મોહ માયા ને ત્યાગે છે.. ગુરુ જ્ઞાન ની ઘડિયાળ જ્યારે ભક્તિનો રંગ જેને લાગે છે ત્યારે વિજય નો ડંકો વાગે છે... ગુરુ જ્ઞાન ની ઘડિયાળ દાસ તુલસી ને તમન્ના લાગે છે એ તો સંતોની સેવા માંગે છે... ગુરુ જ્ઞાન ની ઘડિયાળ જેને ગુરુજીના જ્ઞાન જ્યારે લાગે છે એ તો પરનિંદા ને ત્યાગે છે... ગુરુ જ્ઞાન ની ઘડિયાળ 🙏🙏🙏🙏🙏જય રામાપીર 🙏🙏🙏🙏🙏