😭રડાવી દે એવું શ્રદ્ધાંજલિ કિર્તન😭 શ્રાધ નું કિર્તન લખેલું છે|Bhavika Gondaliya Dhun Mandal
😭રડાવી દે એવું શ્રદ્ધાંજલિ કિર્તન😭 શ્રાધ નું કિર્તન લખેલું છે|Bhavika Gondaliya Dhun Mandal 🌹સ્વ રચિત શ્રધાંજલિ કિર્તન.... વિધાતા તે લેખ કેમ આવા લખ્યા જીવથી વાલા પપ્પા મારા જુદા રે થયા.....હૃદય સ્પર્શી શબ્દો દ્વારા મારા પાપા ની યાદ માં ગાયેલું કિર્તન અચૂક સાંભળજો 🙏 જય સીયારામ 🙏 🔹singer:Bhavika Gondaliya 🔹lyrics:Bhavika Gondaliya હે વિધાતા તે લેખ કેમ આવા રે લખ્યા જીવ થી વાલા પાપા મારા જુદા રે થયા આંખોથી આંસુ મારા નથી સુકાતા દિવસ રાત પપ્પા મારા નથી ભુલાતા આખો દિવસ બાપુ તમને યાદ રે કરું રોઈ રોઈ કોને ફરિયાદ હું કરું જીવ થી વાલા પાપા મારા નથી ભુલાતા 😭 આખો દિવસ બાપુ વાટ તમારી જોતા સુના થયા હવે ડેલીને ડાયરા જીવ થી વાલા પાપા મારા નથી ભુલાતા 😭 સદા સહુને હસાવનાર રડાવી જતા રહ્યા વિધિના વિધાન અમે બદલી ન શક્યા યાદ તમારી આવે બાપુ નથી ભુલાતા જીવ થી વાલા પાપા મારા નથી ભુલાતા 😭 યાદ તમારી મારા દિલમાં રહી જાશે મનથી મોટા તમે દિલના દાતાર હતા કદી નથી રાખ્યો કોઈ મનમાં વેર ઝેર.. જીવ થી વાલા પાપા મારા નથી ભુલાતા 😭 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹